મોરબી : લક્ષ્મીનગરની આર્યવ્રત શાળામાં વિજ્ઞાનમેળો યોજાયો

- text


વિદ્યાર્થીઓ દ્વારા રોકેટ લૉન્ચર, વેસ્ટમાંથી બેસ્ટ સહિતની કૃતિઓ રજૂ કરી

મોરબી : મોરબીના લક્ષ્મીનગર ખાતે આવેલા આર્યવત ર્શૈક્ષણિક સંકુલમાં વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ જ્ઞાન સાથે ગમત મેળવી અવનવી મોડલરૂપ કૃતિઓનું સર્જન કર્યુ હતું.

મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલા આર્યાવત શૈક્ષણિક સંકુલ ખાતે તાજેતરમાં વાર્ષિક ઉત્સવ, વિજ્ઞાન મેળો, શૈક્ષણિક ચર્ચા સભા તથા વાલી સંમેલનનું આયોજન કરાવામાં આવ્યું હતું.આ વિજ્ઞાનમેળામાં વિદ્યાર્થીઓએ
પોતાની સુશુપ્ત શક્તિઓને કામે લગાડી રોકેટ લૉન્ચર, વેસ્ટમાંથી બેસ્ટ,સમગ્ર વિશ્વના રાષ્ટ્રધ્વજો, પ્રાચીન વરસની માટી કલા સહિતની કૃતિઓનું સર્જન કરી આ બાળ વિજ્ઞાનીકોએ પોતાની બાળ ક્ષમતાને પુરવાર કરી હતી. તેમજ વાલી સમેલન માં પ્રમુખ ગોરધનભાઈ કૈંલા એ જ્ઞાનવર્ધક માર્ગદર્શન આપ્યુ હતુ. તેમજ શૈક્ષણિક ચર્ચા સભામાં શિક્ષણની સાથે વિદ્યાર્થી ના સર્વાગી વિકાસ પર ભાર મુક્યો હતો.

- text

 

- text