- text
મોરબી : મોરબીમાં આવતીકાલે બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં છ માસથી લઈ ૧૨ વર્ષના બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે.
મોરબીના નિરાકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે સંકટ મોચન હનુમાન મંદિર, પુનીત નગર, છાત્રાલય રોડ ખાતે સવારે ૦૯ : ૩૦ થી ૧૨ : ૩૦ સુધી વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે જેમાં છ માસથી ૧૨ વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે.
- text
જેથી દરેક માતા પિતા પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે આ કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.
- text