મોરબીમાં કાલે સુવર્ણપ્રાશન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં છ માસથી લઈ ૧૨ વર્ષના બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે.

મોરબીના નિરાકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે સંકટ મોચન હનુમાન મંદિર, પુનીત નગર, છાત્રાલય રોડ ખાતે સવારે ૦૯ : ૩૦ થી ૧૨ : ૩૦ સુધી વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે જેમાં છ માસથી ૧૨ વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે.

- text

જેથી દરેક માતા પિતા પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે આ કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

- text