શનિવારે મોરબીમાં નવયુગ વિદ્યાલયના સિતારાઓનું સન્માન

- text


સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે ચાર કેટેગરીમાં એવોર્ડ અપાશે

મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલ અને નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આગામી શનિવારે વિશિષ્ઠ કાર્યક્રમમાં નવયુગ સિતારાઓનું સન્માન કરવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે.

નવયુગ ગ્રુપ ઓફ કોલેજ અને નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા મોરબી રાજકોટ હાઇવે પર આવેલ સંકુલ ખાતે આગામી તા. 23 થી  25 સુધી  સાંસ્કૃતિક કાર્યક્રમ અને એવોર્ડ સેરેમનીનું આયોજન કરાયું છે જેમાં બેસ્ટ પ્રોફેસર, બેસ્ટ સ્ટુડન્ટ, બેસ્ટ એજ્યુકેશન અને બેસ્ટ એક્ટીવીટી કેટેગરીમાં એવોર્ડ આપવામા આવશે.

- text

આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ, જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા નવયુગ શૈક્ષણિક સંકુલના પ્રમુખ પી.ડી.કાંજીયા સહિત કોલેજ અને વિદ્યાલયના સ્ટાફમિત્રો દ્વારા જહેમત ઉઠવાઈ રહી છે.

- text