મોરબીમાં શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવાઈ

- text


મોરબી : મોરબીમાં મહારાષ્ટ્ર મંડળ દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતિની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી શોભાયાત્રા યોજવામાં આવી હતી.

મહારાષ્ટ્ર મંડળ મોરબી દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમીતે ગુજરાત હાઉસિંગ બોર્ડ મહારાણા પ્રતાપ ચોકથી લીલાપર રોડ શિવાજી મહારાજ ચોક સુધી શોભાયાત્રા યોજી ફુલહાર અને પ્રતિમાનું પૂજન કરાયું હતું.

- text

શોભાયાત્રાના આયોજનમાં મહારાષ્ટ્ર મંડળના અધ્યક્ષ રાજેશ કે.પાટીલ, તુક્કારામ નિકમ, ચંદ્રકાન્ત ઢેરે, સુનિલ લીગાડે, સુરેશભાઈ પાટીલ, રેખાબેન પાટીલ અને અનિતા ઢેરે સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text