ટંકારા :નિવૃત્તિ બાદ શાળાના બાળકોને અનોખી ભેટ ધરતા શિક્ષક

- text


ટંકારા : ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલયના શિક્ષકે નિવૃત્તિ બાદ શાળાના બાળકોને રિટર્ન ગિફ્ટ રૂપે શાળાના પ્રાંગણમાં રંગબેરંગી બાંકડા ફિટ કરાવી આપી બાળકોને બેસવા માટે સુંદર વ્યવસ્થા કરી આપી હતી.

ગુરુ શિષ્યની પરંપરામાં હંમેશા શિષ્ય ગુરુદક્ષિણા આપતા હોય છે ત્યારે ટંકારામાં એમ.પી.શાહ વિદ્યાલયના ગણિતના ગુરુજી એટલે કે શિક્ષકે એસ. પી. અંદરપા ગત માસે વય મર્યાદા પૂરી થયા બાદ રિટાયર્ડ થતા શાળા પરિવાર દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજી તેમને વિદાયમાન અપાયું હતું.

- text

બાદમાં નિવૃત શિક્ષક એસ. પી. અંદરપા એ તેમના અભ્યાસુ બાળકો માટે ખુલ્લા મેદાનમાં બેસવા માટે બાંકડા ન હોય શાળા ને રિટર્ન ગિફ્ટ આપી હતી જેમા શાળા ના મેદાન ફરતે રંગબેરંગી બાકડા મુકી અલગ અંદાજે પ્રેમ વ્યક્ત કર્યો હતો.

- text