મોરબીની આર્યવ્રત શાળામાં સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબીના લક્ષ્મીનગર ખાતે આવેલી આર્યવ્રત શાળામાં ઝૂંપડપટીના બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરતી વિશ્વનિડમ સંસ્થાનો કાર્યક્રમ યોજાયો હતો.

જાણવા મળ્યા મુજબ રાજકોટમાં ઝૂંપડપટીના બાળકોના શિક્ષણ અને ઉત્થાન માટે કામ કરતી વિશ્વનીડમ સંસ્થાના પરિચય અને સેમિનારનું મોરબીની લક્ષ્મીનગર ખાતે આવેલી આર્યવ્રત શાળામાં આયોજન કરાયું હતું.

આ તકે સંસ્થાના સ્થાપક જીતુભાઈએ સંસ્થા વિશે માહિતી આપી હતી સાથો સાથ ઝૂંપડપટીના બાળકો દ્વારા બનાવાયેલ અવનવી ચીજ- વસ્તુઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

- text

- text