મોરબીની પી.જી.પટેલ કોલેજમાં લાઈફ ચેંજીગ સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લાઈફ ચેંજીગ સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં મોરબીમાં મેનેજમેન્ટ ગુરુની ઓળખ ધરાવતા દિગંત ભટ્ટે વિદ્યાર્થીઓને સફળતાનાં મંત્ર આપ્યા હતા.

આ સેમિનારમાં પોઝિટિવ થીંકીંગ, સમય અને સંજોગો સાથે પરિવર્તન, જીવનની દરેક પરિસ્થિતિમાં અનુકૂલન સાધવું વગેરે સાંપ્રત અને વિદ્યાર્થીકાળમાં ખૂબ જ મહત્વ ઘરવાતા મુદ્દાઓની સરળ શૈલીમાં વિદ્યાર્થીઓને સમાજ આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી આ સેમિનારમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, આ તકે કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ, આચાર્ય રવિન્દ્ર ભટ્ટ, તેમજ કોલેજ સ્ટાફ પણ હાજર રહ્યો હતો.

- text

 

- text