વાંકાનેરના માટેલમાં ગળાફાંસો ખાઈ શ્રમિક યુવાનનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેરના માટેલ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાને ગળે ફાસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના માટેલ નજીક આવેલ ક્યુરો વિટ્રીફાઈડ સિરામિકમાં કામ કરતા સુમંતભાઈ ધનશ્યામભાઈ ઉ.૨૩ એ ગત બપોરના સમયે પોતાની ઓરડીમાં ગળેફાસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું.

- text

પોલીસની પ્રાથમિક તપાસમાં ઘર કંકાસથી કંટાળી યુવાને જીવન ટુંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે એ મામલે વાંકાનેર તાલુકા પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text