- text
જુના રફાળેશ્વર રોડને તાકીદે રીપેર કરવા માંગ
મોરબી : મોરબી સામાકાંઠા વિસ્તારથી રફાળેશ્વર જતા જુનો માર્ગ બિસ્માર હાલતમાં હોય મોરબીના ઉદ્યોગકારો દ્વારા તાકીદે આ રોડ રીપેર કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
મોરબીના ઉધોગકારોના જણાવ્યા મુજબ મોરબી સામાકાંઠા વિસ્તારથી રેલવે લાઈનને સમાંતર જૂનો રફાળેશ્વર માર્ગ આવેલો છે અને આ માર્ગ ઉપર ૪૦ જેટલા ઉદ્યોગો આવેલા છે અને નજરબાગ રેલવે સ્ટેશન અને અન્ય રહેણાંક વિસ્તારો પણ આવેલા છે.
- text
નેશનલ હાઇવેની સમાંતર આવેલ આ માર્ગનું રિપેરીંગ કરવામાં આવે તો ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારને રાહત મળે તેમ હોવાનું જણાવી ઉદ્યોગકારો દ્વારા સત્વરે આ રોડ રીપેર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
- text