ટંકારાના ધૂનડા ગામના યુવાનને મરવા મજબૂર કરનાર બે ઝડપાયા

- text


બળાત્કાર કેસમાં સમાધાન માટે ૧૫ લાખની ઉઘરાણી કરતા હોવાનું ખુલ્યું

ટંકારા : ટંકારાના સજ્જનપર ધુનડા ગામના યુવાનને બળાત્કાર કેસમાં સમાધાન માટે ૧૫ લાખની માગણી કરી પરેશાન કરતા પિતા પુત્રના ત્રાસથી યુવાને આપઘાત કરી લેતા પોલિસે આ પ્રકરણમાં સંડોવાયેલ બન્નેની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના સજ્જનપર ધુનડા ગામના ધર્મેશ ગીરીશ શેરસીયા ઉ.૨૦ નામના યુવાને એસીડ પીને આપઘાત કરી લેતા આપઘાત મામલે ચોકાવનારા ખુલાસા થયા હતા જેમાં યુવાને આપઘાત કર્યો ના હતો પરંતુ તેને મરવા માટે મજબુર કરવામાં આવ્યો હતો અને ધુનડા ગામના રહેવાસી ધવલ ભડગામડીયા અને હસમુખ ભડગામડીયા નામના શખ્શો યુવાન પાસેથી ૧૫ લાખની માંગણી કરતા હોય જે રૂપિયા ના હોવાથી ઉઘરાણીથી ત્રાસી ગયેલા યુવાને આપઘાત કર્યો હતો.

- text

આ બાબતે મૃતક ધર્મેશના પિતા ગીરીશભાઈ શેરશીયાની ફરિયાદને પગલે ટંકારા પોલીસે બંને આરોપી વિરુદ્ધ મરવા માટે મજબુર કર્યાનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં મૃતક યુવાન ઉપર પાંચ માસ પૂર્વે દુષ્કર્મ કેસ થયો હોય જે અંગે બંને શખ્શો સમાધાન કરવાના બદલામાં ૧૫ લાખની માંગણી કરતા હોવાથી યુવાને આપઘાત કર્યાનું બહાર આવ્યું હતું.

આ ચકચારી બનાવમાં ટંકારા પોલીસમાં બંને શખ્શો વિરુદ્ધ મરવા માટે મજબુર કર્યાની ફરિયાદને પગલે ટંકારા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text