ચરાડવામાં બ્રિલિયન્ટ સ્કૂલ દ્વારા મહાઅભિયાન રેલી યોજાઈ

- text


મોરબી : ચરાડવા ગામની બ્રિલિયન્ટ સ્કૂલ દ્વારા ૬૯ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મહાઅભિયાન રેલી યોજી જનજાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો.

પ્રજાસતાક પર્વ નિમિતે બ્રિલિયન્ટ સ્કૂલનાં બાળકો દ્રારા મહા અભિયાન હાથ ધરવામાં આવ્યુ જેમાં આજની વાસ્તવિક સમસ્યાઓ દિકરીને ભણાવો, ભૃણ હત્યા, સ્વચ્છતા અભિયાન, પાણી બચાવો, ગ્રાહક જાગૃતિ, અને ભારત દેશનાં નર બંકા શહિદોનાં જીવનનાં સંદેશ દરેક લોકો સુધી પહોચે તે હેતુ સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.

- text

આ મહારેલીમાં શાળાનાં તમામ બાળકો જોડાઇને સમાજને અનેરો સંદેશ પાઠવ્યો હતો અને સાથે ભારતની શાન સમા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ અને ખરાં અર્થમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરી હતી.

- text