મોરબીમાં શનિવારે સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે દાખલા કાઢી અપાશે

- text


ગુજરાત સતવારા સુરક્ષા સેના દ્વારા કેમ્પ રૂપે કામગીરી કરાશે

મોરબી : મોરબી ખાતે આગામી તા. ૨૭ ને શનિવારે સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે આવકના દાખલા, નોન ક્રિમિલેયર સર્ટી તેમજ જ્ઞાતિ અંગેના દાખલા કાઢી આપવા કેમ્પ રૂપે કામગીરી હાથ ધરાશે.

ગુજરાત સતવારા સુરક્ષા સેના દ્વારા આગામી તા. ૨૭ ને શનિવારે મોરબી વાઘપરા ખાતે આવેલ સતવારા સમાજની વાડી ખાતે જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે આવકના દાખલા, જ્ઞાતિ અંગેનો દાખલો તેમજ નોન ક્રિમિલેયર સર્ટી નોમીનલ ચાર્જ વસૂલી કેમ્પરૂપે કામગીરી કરવામાં આવશે.

- text

શનિવારના રોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૨ થી ૬ દરમિયાન કામગીરી કરશે અને જે વિદ્યાર્થીઓ આ કામગીરી કરાવવા ઇચ્છતા હોય તેમને જરૂરી આધાર પુરાવાની સાથે સાથે રૂપિયા ૨૦ વાળો સ્ટેમ્પ પેપર સાથે લાવવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

- text