ફિલ્મ પદ્માવતના વિરોધમા આવતીકાલે મોરબી બંધનું એલાન

- text


મોરબી : વિવાદિત ફિલ્મ પદ્માવત પર બેન લગાવવાની માંગણી સાથે આજે ક્ષત્રિય સમાજના આગેવનોની વેપારી આગેવાનો સાથે મિટિંગ યોજાઈ હતી જેમાં આવતીકાલે મોરબી બંધ રાખવા નિર્ણય લેવાયો હતો.

બૉલીવુડ નિર્માતા સંજયલીલા ભણસાલીની વિવાદિત ફિલ્મ પદ્માવતને સિનેમાઘરોમાં પ્રદર્શિત થતી રોકવા આજે મોરબી જિલ્લાના ક્ષત્રિય આગેવાનો, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનોની મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ હતી જેમાં ફિલ્મ પર પ્રતિબંધ લડવાની મંગ સાથે આવતીકાલે મોરબી શહેરમાં શાંતિપૂર્ણ બંધ પાડવા નક્કી કરાયું હતું.

- text

આ મામલે આગેવાનો દ્વારા મોરબી વેપારી સંગઠનો સહીતને શાંતિપૂર્ણ બંધમાં જોડાવા પોતાના ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરી હતી. જો કે આવતીકાલે બંધ દરમિયાન ઇમરજન્સી સેવા રૂપે મેડિકલ સ્ટોર અને હોસ્પિટલોને બંધમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

 

- text