૨૬ જાન્યુઆરીએ મોરબીના દિવ્યાંગ બાળકો રજુ કરશે અદભુત કાર્યક્રમ

- text


જે.કે.પેઇન્ટસ ખાતે માનવમંદિર સંસ્થા દ્વારા કરાયું આયોજન

મોરબી : માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આગામી તા. ૨૬ જાન્યુઆરીના રોજ દિવ્યાંગ બાળકોનો અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ જે.કે.પેઇન્ટસ જીઆઇડીસી મોરબી ખાતે રજૂ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૫૦ જેટલા દિવ્યાંગ અને સી.પી. બાળકોના ઉત્થાનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, આ બાળકોને પ્રોત્સાહિત કરવા જે.કે.પેઇન્ટસ જીઆઇડીસી મોરબી ખાતે ૨૬ જાન્યુઆરીએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

૨૬ જાન્યુઆરીએ સાંજે ચાર કલાકે રજૂ થનાર આ કાર્યક્રમમાં સહભાગી બની દિવ્યાંગ બાળકોને પ્રેરણા આપવા મોરબીના નગરજનોને પધારવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે ઉપરાંત દિવ્યાંગોના ઉત્થાન માટે સંસ્થાના સેવા કાર્યમાં મદદરૂપ થવા અને દિવ્યાંગ બાળકોને દત્તક લેવા તેમજ અન્ય સેવાકીય પ્રવૃતિમાં જોડાવા સંસ્થાના દુર્ગાબેન કૈલા, દિપાબેન કોટેચા, પ્રદીપભાઈ વોરા અને ગીરીશભાઈ પારેખની યાદીમાં જણાવાયું છે.

ફાઈલ તસ્વીર

- text