નીલકંઠ વિદ્યાલય (પીપળીયા ચાર રસ્તા) ખાતે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : રાજ્ય સરકારના શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત આજે નીલકંઠ વિદ્યાલય ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.

આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મોરબીના પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલી નીલકંઠ વિદ્યાલય શાળા ખાતે આરોગ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ જેમાં આરોગ્ય ટીમ દ્વારા શાળાના બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી તેમજ બાળકોને આરોગ્ય વિશે માર્ગદર્શન આપી અને આરોગ્ય માટે રાખવામાં આવતી સાવચેતી વિશે સલાહ સુચન પણ કરવામાં આવ્યું હતું.

- text

આ તકે બાળકોના આરોગ્યની ચકાસણી કરવા બદલ નિલકંઠ વિદ્યાલયના સંચાલક યાજ્ઞિક ભાઈ ધમાસણા ડોક્ટર ની ટિમ નો આભાર વ્યક્ત કર્યો હતો.

- text