ટંકારા પોલીસની સતર્કતાથી તસ્કરોને ભાગવું પડ્યું

- text


સરદાર નગરમાં ચોરને પડકારનાર જીઆરડી જવાન ઉપર પથ્થરમારો છતાં જવાને હિંમત દાખવી : લતાવાસીઓએ પોલીસ અને જીઆરડી જવાનની કામગીરી બિરદાવી

ટંકારા : ટંકારા પોલીસની સતર્કતાથી અહીંની સરદાર સોસાયટીમાં ચોરી કરવા આવેલા તસ્કરોને ખાલી હાથ પરત ફરવું પડ્યું હતું, જો કે તસ્કરોને પડકારનાર જીઆરડી જવાન ઉપર નિશાચરોએ પથ્થરમારો કર્યો હતો.

શિયાળા ની શરૂઆતમા ચોરોએ ટંકારામા હાથફેરો કરી ગયા બાદ આવો બનાવન બને તે માટે ટંકારા ફોજદાર ચૌધરીએ માસ્ટર પ્લાન બનાવ્યો હતો જેને ગતરાત્રે સફળતા પણ મળી હતી જેમા ટંકારાના ભોગોળે આવેલી સરદાર નગર સોસાયટી મા ચોરી કરવાના ઈરાદે આવેલા બે ચોરો તેના કામને અંજામ આપે એ પુર્વે જ ખાખીની નજરે ચડી જતા ફરજ પરના જીઆરડી જવાન અનવરભાઈ પર પથ્થરમારો કર્યો હતો અને વાહન પર પથ્થર લાગ્યા બાદ શોરબકોર કરી સોસાયટીવાસીઓને જગાડી દીધા હતા.

- text

બીજી બાજુ તસ્કરો પકડાવાની દહેશતને પગલે અંધારામાં ઓગળી ગયા હતા ત્યારે આજે લતાવાસીઓ દ્વારા આ અંગે જાગૃતિ દાખવનાર અનવરભાઈની કામગીરીને બિરદાવા ટંકારા પોલીસ મથકે સન્માન કર્યું હતું.

- text