મોરબીમાં લાપતા બનેલા આધેડનો નદીમાંથી મૃતદેહ મળ્યો

- text


ધૂનડા નજીક પાણીના ખાડામાં ડુબતા મહિલાનું મોત

મોરબી : મોરબીમાંથી દસેક દિવસ પૂર્વે લાપતા બનેલા આધેડનો મૃતદેહ નદીમાંથી મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે.અન્ય એક બનાવમાં રવાપર ધુનડાં રોડ પર પાણીના ખાડામાં ડૂબી જતાં મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ આજે સામાકાંઠા વિસ્તારમાં મહાપ્રભુજીની બેઠક નજીક નદીમાંથી મૃદેહ મળી આવ્યો હતો, પોલીસ તપાસમાં આ મૃતદેહ ગ્રીનચોક નજીક સાંકળી શેરીમાં રહેતા બરક્તઅલી જીવાભાઈ આમલાણી ઉ.૫૫ નો હોવાનું બહાર આવ્યું છે.

- text

વધુમાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે, દરમિયાન મૃતક આધેડ ગત તારીખ ૧૩ ના રોજ ઘરેથી લાપતા બન્યા હતા અને પોલીસ તપાસમાં મૃતક બરકતઅલી ઘટના સ્થળ આસપાસની સ્કૂલોના સી.સી.ટીવી કેમેરામાં જોવા મળ્યા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.

દરમિયાન અન્ય એક બનાવમાં રવાપર ધૂંનડા રોડ પર ઉમિયા નગર-૨ માં રહેતા રાધા ચરણસિંઘ બધેલ ઉ.૩૨ અકસ્માતે પાણીના ખાડામાં પડી ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.

ઉક્ત બન્ને ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text