મોરબીની નવી જેલ તૈયાર : રાજકોટ જેલમાં રહેલા મોરબીના ૧૭૦ કેદીઓ પરત

- text


રાજકોટ જેલનું ભારણ હળવું : કેદીઓને મુદતે લઈ જવા આવવાનું જોખમ ભર્યું કામ ખતમ

મોરબી અપડેટ : મોરબીમાં નવી આધુનિક જેલ તૈયાર થઈ જતા હવે મોરબી જિલ્લાના કેદીઓને રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી મોરબી પરત મોકલવાનું શરૂ કરાયું છે,રાજકોટ જેલમાં મોરબીના ૧૭૦ જેટલા કેદીઓ કેદ હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લાના ૧૭૦ કેદીઓ રાજકોટના પોપટપરા સ્થિત સેન્ટ્રલ જેલમાં કેદ હતા પરંતુ મોરબીની જેલ તૈયાર થઈ જતા છેલ્લા બે દિવસથી મોરબીના કેદીઓને ચુસ્ત ઝાપ્તા વચ્ચે મોરબી ખસેડવામાં આવ્યા છે.

- text

નોંધનીય છે કે મોરબી જિલ્લાના કેદીઓ રાજકોટ જેલમાં બંધ હોવાથી વખતો-વખત કેસની મુદત સમયે કેદીઓને લાવવા લઈ જવામાં કેદી પાર્ટી તરીકે બન્દોબસ્ત ફાળવવા સહિતના કામનું ભારણ હળવું થયું છે અને રાજકોટ જેલમાં પણ કેદીઓની સંખ્યા ઘટતા જેલ સતાવાળાઓને રાહત મળી છે.

- text