બાબા સાહેબ આંબેડકરજીને શ્રદ્ધાંજલિ આપતું યંગ ઇન્ડિયા ગ્રુપ

- text


નિર્વાણદિને પી.જી.પટેલ કોલેજમાં યોજયો કાર્યક્રમ

મોરબી : આજે ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજીના નિર્વાણદિને મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ યોજાયો હતો.

યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા ભારત ના મહાન વિભૂતિ બાબા સાહેબ આંબેડકરજીના નિવાર્ણ દિવસ નિમિતે પી જી પટેલ કોલેજમાં શ્રધાંજલિ અપાતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં બાબા સાહેબના જીવન ચરિત્રનો ચિતાર આપી તેમના દ્વારા દેશના સંવિધાન અને શોષિત વર્ગના ઉત્થાન માટે કરેલ કર્યો વિષે માહિતીગાર કરી તેમના વિચારોનું
વિદ્યાર્થીઓ અનુસરણ કરવા પ્રેરાય અને દેશના સર્વાંગી વિકાસ માટે તથા સંવિધાનમાં આપેલ અધિકારો અને ફરજો પ્રત્ય સભાનતા કેળવાય તેવા હેતુથી કાર્યક્રમ નું આયોજન કર્યુ હતું.

- text

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પી જી પટેલ કોલેજના પ્રોફેસર કંસારાએ વક્તવ્ય આપ્યુ હતું યંગ ઇન્ડિયા ગ્રુપના આ કાર્યક્રમમાં ગ્રુપના દેવેનભાઈ રબારી, પત્રકાર રોહનભાઈ રાંકજા, દેવકરણભાઇ આદ્રોજા તથા રવિન્દ્રભાઈ ભટ્ટ તથા યંગ ઇન્ડિયા ગ્રુપ ના સભ્યો હાજર રહી બાબા સાહેબ ને શ્રધાંજલિ અર્પણ કરવામા આવી હતી.

- text