૯મી ડીસેમ્બરે મોરબી જિલ્લાના શ્રમિકોને મતદાન માટે રજા આપવા આદેશ

- text


મોરબી : આગામી ૯ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં શ્રમિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી મોરબી જિલ્લા તમામ કારખાનાઓ, ખેત મજૂરો અને મીઠાના અગરમાં કામ કરતા શ્રમિકોને રજા આપવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આદેશ જારી કરાયો છે.

- text

મોરબી જિલ્લામાં વિધાનસભાની સમાવિષ્ટ બેઠકોમાં મોરબી માળિયા(મિં), ટંકારા, વાંકાનેરની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ના પ્રથમ ચરણના મતદાન માટે તા.૦૯ મી ડીસેમ્બરના શનિવારના મતદારો મતદાન કરી શકે તે માટે ખેત શ્રમિકો, મીઠા શ્રમિકો અને અસંગઠિત શ્રમિકોના માલિકોએ તા. ૦૯ મી ડીસેમ્બરના શનિવારના રોજ ફરજિયાત પણે જાહેર રજા આપવા મોરબીના સરકારી શ્રમ અધિકારી(ખેત)એ જણાવેલ છે.

- text