- text
૨૧ ડિસેમ્બર સુધીમાં પેન્શન પ્રશ્ન નહિ ઉકેલાય તો મોત વ્હાલું કરવાની ચીમકી
ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગમે રહેતા અને મચ્છુ-૧ સિંચાઈ યોજનામાં ફરજ બજાવી ચાર વર્ષ પહેલાં નિવૃત થયેલા વાલજીભાઈ રૈયાણીને પેન્શન મળવાનું શરૂ ન થતા અનેક રજૂઆતો બાદ થાકી હારી હવે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારતા ચકચાર જાગી છે.
જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લામાં મચ્છુ-૧ સિંચાઈ યોજનમાં ફરજ બજાવી ૩૧-૭-૨૦૧૩ ના રોજ નિવૃત થયેલ લજાઈના વાલજીભાઈ પરસોત્તમભાઈ રૈયાણી ને નિવૃત્તિના ચાર ચાર વર્ષ બાદ પણ પેન્શન આપવામાં ણ આવતા સરકારમાં અનેક રજૂઆતો કરી હતી.
- text
પરંતુ આમ છતાં તેમની રજુઆત સરકારના બહેરા કને અથડાતા અંતે હવે તેઓએ મોરબી જિલ્લા કલેકટરને આખરીનામું આપતી રજુઆત કરી છે અને જો આગામી ૨૧ ડિસેમ્બર સુધીમાં તેમનો પેન્શન પ્રશ્ન નહિ ઉકેલાય તો આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચરતા ખળભળાટ મચી ગયો છે.
હોવી જોવું એ રહ્યું કે નિભંર સરકાર પેન્શન પ્રશ્ને મોત વ્હાલું કરવા સુધીનું પગલું ભરવાની જાહેરાત કરનાર કર્મચારીની લાગણી સાંજે છે કે કેમ.
- text