મોરબી ની શાંતિવન સ્કૂલ માં મતદાન જાગૃતિ અભિયાન અતતગત રંગોળી સ્પર્ધા યોજાઈ

- text


મોરબીના રણછોડનગર વિસ્તારમાં આવેલી શ્રી શાંતિવન પ્રાથમિક શાળામાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રંગોળી સ્પર્ધા થીમ આધારીત હતી. આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં મતદારો જાગૃત થાય તેવા શુભ આશયથી ‘VOTE For INDIA’ની થીમ આધારીત વિદ્યાર્થીઓએ આશરે 30થી વધુ રંગોળી બનાવી હતી.

- text

વિદ્યાર્થીઓએ પારંપરિક રંગોળીમાં પણ પોતાની કલ્પનાના રંગો પૂર્યા હતા.
SVEEP મતદાર જાગૃતિ અંતર્ગત શાળામાં યોજાયેલ આ નવત્તર કાર્યક્રમ માટે નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એન.દવે તથા એ.ઇ.આઈ. શ્રી પી.વી.રાઠોડે શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મનન બુદ્ધદેવ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

 

- text