ટંકારા : હોસ્ટેલમાં રહેતા 12 સાયન્સના છાત્રનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


 

ટંકારાની આર્ય વિદ્યાલયમ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આપઘાત : સહપાઠી વિદ્યાર્થીઓ બોલાવતા ન હોય કંટાળી આપઘાત કરી લીધો

ટંકારા : ટંકારાની નામાંકિત આર્ય વિધાલયમની હોસ્ટેલમા પંખે લટકી ધો.૧૨ સાયન્સના વિધાર્થીએ મિત્રો બોલાવતાં ન હોવાથી લાગી આવતા આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. ઉલ્લેખનીય છે કે જિંદગી ટૂંકાવી લેનાર વિદ્યાર્થી વાણદ પરીવાર ના એકનો એક પુત્ર હોવાનું બહાર આવ્યું છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના પિલુડી વાધપર ગામના જયનિક અરવિંદભાઈ સુરાણી ધોરણ ૧૨ સાયન્સમા મોરબી અભ્યાસ કરતો હતો અને ટંકારા નજીક રાજકોટ મોરબી રોડ ઉપર આવેલ આર્ય વિધાલયમની હોસ્ટેલમા મિત્રો સાથે રહી અપડાઉન કરતાં હોય કોઈ બાબતે તેના સહપાઠીઓ સાથે અબોલા થતા લાગી આવ્યુ હતું અને આજે હોસ્ટેલના રૂમમાં પંખે સાલ બાધી અંતિમ પગલું ભરી લીધું હતું.

- text

વધુમાં આ બનાવની જાણ ટંકારા પોલીસને થતા તાત્કાલિક ફોજદાર ચૌધરી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્યા જરૂરી તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમા અન્ય વિધાર્થીના અણગમાથી આ પગલુ ભર્યું હોવાનું લખ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ખેતી કરતા વાણદ પરિવાર ના એકના એક પુત્રના આ પગલાથી દવાખાને કરૂણ દ્રશ્યો સર્જાયા હતા
જોકે શાળાના મેનેજમેન્ટ સાથે વાત કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો.

જો કે હાલ તો ટંકારા પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text