વાંકાનેરના વઘાસિયા ટોલનાકે કર્મચારીઓની દાદાગીરી

- text


વાંકાનેર:વાંકાનેરના વઘાસિયા ટોલનાકે ટોલનાકાના કર્મચારીઓ દ્વારા દાદાગીરી આચરી ટોલનાકાના કાયદેસરના નાણાંને બદલે વધુ રકમ પડાવવાનો મામલો સામે આવ્યો છે અને આ દાદાગીરી મામલે પોલિસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ખાતે રહેતા દામજીભાઇ મોહનભાઇ રૈયાણી ગઈકાલ પોતાના પુત્ર સાથે ટોલનાકાથી પસાર થયા ત્યારે ટોળના ૮૫ ચૂકવવા ૧૦૦ રૂપિયાની નોટ આપી હતી અને બાકીના નાણાં પરત માંગતા ટોલનાકે ફરજ પર રહેલા એ.કે.સીંગ સહિતના -૪ ઇસમો રહે બધા વાંકાનેર વધાસીયા ટોલનાકા વાળાઓએ નાણાં આપવાને બદલે ફરિયાદી પર હુમલો કરી ધમકી આપી હતી.

- text

આ મામલે પોલીસે દમજીભાઈની ફરિયાદના આધારે ટોલનાકાના કર્મચારીઓ વિરુદ્ધ ભુંડા બોલી ગાળો આપી ધક્કામૂકી કરી ફરીયાદીને ધક્કોમારી પછડી દેઇ જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાનેમદદગારી કરી ગુન્હો કરવા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- text