પદ્માવતી ફિલ્મ રિલીઝ ન કરવા મોરબી ક્ષત્રિય મહિલા સંગઠન દ્વારા રજુઆત

- text


નગરપાલિકા સદસ્યા અરુણાબા જાડેજાની આગેવાનીમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયું

- text

મોરબી:સંજયલીલા ભણસાલીની આગામી ફિલ્મ પદ્માવતીમાં ક્ષત્રિય સમાજના ગૌરવવંતા ઇતિહાસને તોડી મરોડી રજૂ કરવામાં આવતા મોરબી ક્ષત્રિય મહિલા સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ થવા પર રોક લગાવવા માંગણી કરવામાં આવી હતી.
મોરબી નગરપાલિકા સદસ્યા અરુણાબા જદેહની આગેવાની હેઠળ આજે ક્ષત્રિય મહિલા સંગઠન મોરબી દ્વારા સંજયલીલા ભણસાલીની આગામી ફિલ્મ પદ્માવતી રિલીઝ કરવા સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો,ક્ષટેઈય મહિલા સંગઠન દ્વારા રજુઆત કરતા જણાવ્યું હતું કે આ ફિલ્મમાં ક્ષત્રિય સમાજના ગૌરવવંતા ઇતિહાસને તોડી મરોડી ચેડાં કરી સત્ય હકીકતથી પરે પોતાની ફિલ્મને સસ્તી પ્રસિદ્ધિ મળે તેવા આશયથી ક્ષત્રિય સમાજ તેમજ સમગ્ર હિન્દૂ સમાજની લાગણી દુભાય તેવી ચેષ્ટા કરી છે.
જેથી આ ફિલ્મ ગુજરાતના કોઈપણ રિલીઝ ન થાય તેવી અપીલ કરી ગુજરાત સરકારને આ મામલે મધ્યસ્થી કરવા માંગણી કરી હતી,સાથો સાથ ઉગ્ર આંદોલન અંગે પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

- text