- text
કાયમી અંધાપો લાવતા મેક્યુલર ડીજનરેશન અંગે ખાસ તપાસ
મોરબી : આજે શનિવારે બેલા નજીક આવેલા ખોખરા હનુમાનજી ધામ ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાયમી અંધાપો લાવતા મેક્યુલર ડીજનરેશનની ખાસ તપાસ કરવામાં આવશે.
આંખ, નેત્ર, ચક્ષુ, નયન માનવ જીવનનું અતિ ઉપયોગી અંગ છે આંખમાં કાયમી અંધાપો લાવી શકે તે રોગનું નામ મેક્યુલર ડિજનરેશન છે અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા આ રોગનું નિદાન થઈ શકે છે અને આવા રોગની અગાઉથી જાણ મેળવી દ્રષ્ટિ બચાવી શકાય છે.
- text
મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પૂ. માઁ શ્રી કનકેશ્વરીદેવીજીના પાવન સાન્નિધ્યમાં આ અંગેના વિનામૂલ્યે કેમ્પનું આગામી તા. ૦૪.૧૧.૨૦૧૭ શનિવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ખોખરા હનુમાનજીધામ બેલા મુકામે
આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
પૂ. માઁ ના વરદ હસ્તે દિપ પ્રાગટય બાદ આ કેમ્પ શરૂ થશે જેથી રતન સમી આંખનું જતન કરવા આ કેમ્પમાં સર્વ જનતાએ અવશ્ય પધારવા વિનંતી કરવામાં આવી છે.
- text