મોરબીમાં એકલતાથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


જીવન સંગીની સાથે છૂટાછેડા થયા બાદ કંટાળી જતા કારખાનામાં આપઘાત કર્યો

મોરબી:મોરબીના સનાળા રોડ પર હાઉસિંગ બોર્ડમાં રહેતા બાવાજી યુવાને એકલવાયું જીવન જીવતા કંટાળો આવતા ગઈકાલે લાતીપ્લોટ વિસ્તારમાં કારખાનામાં ગળેફાસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા રાજેશભાઇ વસુદેવભાઈ બાવાજી નામના ૩૫ વર્ષના યુવાને ગઈકાલે રાત્રે લાતીપ્લોટ શેરી નમ્બર -૬ માં આવેલ કારખાનામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

- text

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બાવાજી યુવાનના દશ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા પરંતુ લગ્નજીવનમાં ભંગાણ થતા છૂટાછેડા થઈ જતા એકલવાયું જીવન જીવતા હતા અને એકલતાથી કંટાળી જિંદગી ટૂંકાવી લીધાનું જાણવા મળ્યું હતું.

- text