મોરબીના ખાનપરનો ગુમ થયેલ બાળક અમદાવાદથી મળી આવ્યો

- text


મોરબી : મોરબીના ખાનપર ગામનો રહેવાસી બાળક ગત સાંજથી ગુમ થતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે અને પરિવારજનો બાળકની શોધખોળ ચલાવી હતી. ત્યારે આ બાળક સાંજે અમદાવાદમાં તેમના મામાના ઘરેથી મળી આવ્યાના સમાચાર મળ્યા હતા.

- text

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ખાનપર ગામના રહેવાસી મુકેશભાઈ અમૃતિયાનો ૧૩ વર્ષનો દીકરો યશ અમૃતિયા ગઈકાલે તા. ૩૦ ના સાંજે ૫ વાગ્યાથી ઘરેથી કોઈને કહ્યા વિના જ ગુમ થયો છે. સોમવારે સાંજથી ગુમ થયા બાદ હજુ સુધી તેનો કોઈ પતો નહિ લાગતા પરિવારજનો મોરબી તાલુકા મથકે દોડી ગયા હતા. આઠમાં ધોરણમાં અભ્યાસ કરતુ બાળક ગુમ થઇ જતા પરિવારજનો સાથે ગ્રામજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. તેવામાં આ બાળક અમદાવાદ તેમના મામાના ઘરે હોવાની પરિવારજનોને હાલમાં જાણ થતાં પોલીસ અને પરિવાર બંનેએ રાહતનો દમ લીધો હતો.

 

- text