મોરબીમાં હાર્દિકની હાજરીમાં ભાજપને ઉખાડી ફેકવાના સોગંધ લેતા પાટીદારો

- text


હાર્દિકની જાહેરસભામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો : અભૂતપૂર્વ માનવ મેદનીને કારણે રસ્તાઓ બ્લોક કરવા પડ્યા

મોરબી : આજે 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પેટલની જન્મ જ્યંતી નિમીતે મોરબી પાટીદાર આંદોલન સમિતિ દ્વારા આયોજિત “એક શામ સરદાર કે નામ” કાર્યક્રમમાં હાર્દિક પટેલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં પાટીદાર સમાજ સહિતના હજારો લોકો ઉમટી પડ્યા હતા. લોકો એટલી સંખ્યામાં હાજર રહ્યા હતા કે શનાળા રોડ વાહનો માટે બંધ કરવાની ફરજ પડી હતી.
મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક સુપર માર્કેટ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં સરદાર પટેલની જન્મ જ્યંતી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં યુનુસ શેખની ટીમે દેશ ભક્તિના ગીતો સાથે રાષ્ટ્રભક્તિનો માહોલ ઉભો કર્યો હતો.

જયારે કાર્યક્રમ દરમિયાન શનાળા રોડ પરની સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા પાસ કન્વીનર મનોજ પનારાએ ભાજપ શાસિત પાલિકા પર રાગદ્રેશનો આરોપ લગાવ્યો હતો.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના જુદા જુદા જિલ્લાના પાસ કન્વીનરોએ સભામાં ભાજપ અને અમિત શાહ તેમજ રૂપાણી તેમેજ ભાજપમાં ભળેલા વરૂણ અને રેશ્મા પટેલને આડે હાથે લીધા હતા. અને આગામી ચૂંટણીમાં ભાજપને ઉખેડી ફેંકવા હાકલ કરી હતી. દરેક કન્વીનરોના ઉગ્ર ભાષણ દરમિયાન હાજર લોકોએ જય સરદારના નારા લગાવી વક્તાઓને વધાવી લીધા હતા. જ્યારે કાર્યક્રમના મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા હાર્દિક પટેલે પણ સરદાર પટેલને યાદ કરીને પોતાની આગવી શૈલીમાં વકતવ્ય આપ્યું હતું.

- text

અભૂતપૂર્વ જનમેદનીને સંબોધતા હાર્દિક પટેલે પાટીદાર સમાજને આગામી ચૂંટણીમાં ભાજપને ઉખાડી ફેંકવા સોગંધ લેવડાવી ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. તેમજ ભાજપ ચૂંટણીમાં જુઠાણા ફેલાવશે : દરેક સમાજે ભરમાયા વગર એક રહેવાની અને આગામી ચૂંટણીમાં વોટથી ભાજપને પાડી દેવાની હાકલ કરી હતી. વિશાળ સભાને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે અમારું આ આંદોલન આવનારી પેઢી માટે છે, કહેવા વાળા કહે છે કે પાટીદાર અનામત આંદોલનનો દલિતો અને અન્ય સમાજના લોકો વિરોધ કરે છે પરંતુ હકીકતમાં આવું કહી નથી આજે હું મોરબીમાં બધા સમાજને મળ્યો બધા સમાજના લોકો અમારી સાથે જ છે.
વધુમાં સભામાં હાર્દિક પટેલે મોરબીની જ વધારે વાતો કરી હતી અને મોરબીમાં પાટીદારો સાથે પાટીદાર સમાજના જ ધારાસભ્ય કેવા ખેલ પડે છે તેના ઉદાહરન આપી પોલીસ સહિતના વિભાગો પાટીદારો પાસેથી બેફામ લાખો રૂપિયા તોડ કરતા હોવાનું ખુલમ ખુલા જણાવી આ બધી પરિસ્થિતિ માટે સમાજને જવાબદાર ગણાવી ૨૫-૨૫ વર્ષથી ચુંટી ગાંધીનગર મોકલતા બાઘડ બિલાને હવે સાચું સ્થાન બતાવી દેવાા હાકલ કરી હતી.

સભામાં સીરામીક ઉદ્યોગકારોની પીડાને પણ વાચા આપી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગપતિઓ આપણી સાથે જ છે પણ જો એ ખુલીને આપણી સાથે આવે તો ભાજપની સરકાર પ્રદુષણ,કોલગેસ, ઇનકમટેક્સ,જીએસટી વગેરે બાબતોમાં હેરાન કરતા હોય ખુલીને ટેકો નથી આપી શકતા.

અંતમાં હાર્દિક પટેલે મોદીની મિમિક્રી કરી કહ્યું હતું કે આપણી એકતા તોડવા અનેક પ્રયાસો થશે, મોદી અહીં સભા કરવા આવશે પણ એટલું યાદ રાખજો કે આપણી એકતા તૂટવા દેવાની નથી.  કાલે કદાચ હું જેલમાં હોવ તો પણ આપણે આ સરકારને ઉખાડી ફેકવાના જે સોગંધ લોખંડી પુરુષના જન્મ દિવસે ખાધા છે એ ભૂલવાનું નથી.

 

 

- text