- text
વાંકાનેર:વાંકાનેરના જિનપરામાં અજાણ્યા ભરવાડ શખ્સોએ યુવાનને મોબાઈલ નંબર આપ કહી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જાણવા મળ્યા મુજબ અનવરહુસેનભાઇ અલીભાઇ ખોરજીયા મોમીન ઉ.વ. ૨૪ ધંધો વેપાર રહે ચંન્દ્રપુર તા વાંકાનેર વાળા પોતાની દુકાને હતા ત્યારે બે અજાણ્યા ભરવાડ જેવા આરોપીઓએ ફરી. પાસેથી મો.નં. માગતા ન આપતા ફરી.ને ઢીકાપાટુનો માર મારી ભુંડી ગાળો આપી હાથમા પહેરેલ કડુ ફરી.ને માથામા મારી ઇજા કરી જાનથી મારીનાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
- text
- text