ખનીજ ચોરી મામલે ૧૦ ટ્રક માલિકો વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ

- text


માળીયા : માળીયા પંથકમાં ખનીજ ચોરી મામલે ૧૦ ટ્રક માલિકો વિરુદ્ધ ખાણ ખનીજ વિભાગ દ્વારા લેખિત ફરિયાદ નોંધાવી છે.

- text

જાણવા મળ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે અપૂરતા સ્ટાફ વચ્ચે ખાણ ખનીજ વિભાગ કામગીરી કરવામાં ટૂંકું પડી રહ્યું છે છતાં પોલીસ ફરિયાદ કરી ખનીજ ચોરી કરતા તત્વો સામે પગલાં ભરવા પ્રયત્ન કરવામાં આવે છે.
આવા જ કિસ્સામાં ખાણ-ખનીજ વિભાગના ડી.બી.વાધેલાએ ગેરકાયદેસર ખનીજચોરી કરનાર ૧૦ ટ્રકો સામે ખાણ-ખનીજની કલમો અનુસાર માળિયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે ટ્રક નમ્બરના આધારે ટ્રક માલિકો સામે પગલાં ભરવા કાર્યવાહી હાથ ધરી છે.

- text