મોરબી : લૂંટાવરમાં તસ્કરોનો તરખાટ : ગ્રામજનો પર પથ્થરમારો

- text


તસ્કરોએ ગામમાં ચાર મંદિર અને એક દુકાનને નિશાન બનાવી ફરાર

મોરબી : લૂંટાવદર ગામે ગત રાત્રીના તસ્કરોએ એકી સાથે ચાર મંદિર અને દુકાનને નિશાન બનાવી તરખાટ મચાવ્યો હતો. આ ઉપરાંત તસ્કરોએ રાત્રીના ચોરી દરમિયાન જાગી ગયેલા લોકો પર પથ્થરમારો પણ કર્યો હતો.
લૂંટાવદર ગામમાં તસ્કરોએ એકી સાથે ચાર ચાર મંદિરને નિશાન બનાવ્યા હતા. ગામમાં આવેલા રામ મંદિર, કૃષ્ણ મંદિર, શિવ મંદિર અને રામદેવપીર મંદિરમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી તો અન્ય એક દુકાનમાં પણ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે ગ્રામજનો જાગી જતા તસ્કરો પથ્થરમારો કરીને નાસી ગયા હતા. આ પથ્થરમારામાં એક મહિલાને ઇજા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોરીના બનાવની જાણ થતા તાલુકા પોલીસ સ્થળ પર દોડી જઈને વધુ તપાસ ચલાવી છે.

- text

- text