વાંકડામાં પણ વરૂણ અને રેશ્મા પટેલના પૂતળાનું દહન કરાયું

- text


મોરબી : મોરબીમાં ઠેર ઠેર પાસના કાર્યકરો અને પાટીદારો દ્વારા વરુણ અને રેશ્મા પટેલના ભાજપ પ્રવેશનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મોરબી શહેર અને ખરેડા ગામ બાદ વાંકડા ગામમાં પણ પાટીદારોએ વરૂણ અને રેશ્મા પટેલના પૂતળા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો. 

- text

મોરબી શહેર અને મોરબી તાલુકાના ખરેડા ગામ બાદ વાંકડા ગામમાં પાસના કાર્યકરો દ્વારા વરુણ અને રેશ્મા પટેલના પૂતળાનું દહન કરવામાં આવયું હતું. વાંકડા ગામના પાટીદાર યુવાનોએ પૂતળા દહન પેહલા વરૂણ અને રેશ્મા પટેલના પૂતળાનું સમગ્ર ગામમાં ઢોલ નગારાં સાથે સરઘસ કાઢ્યું હતું. અને બાદ માં બંને ભાજપમાં જોડાયેલા બંને પાસ આગેવાનો અને ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચારો કરી બંને ને પાટીદાર સમાજના ગદારો ગણાવી તેમના પૂતળા બાળીને વિરોધ કર્યો હતો. આ વિરોધ કાર્યક્રમમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી.

- text