મોરબી : જોધપર પાસેથી મળેલી અજાણ્યા પુરુષની લાશના કેસમાં હત્યાનો ગુન્હો નોંધાયો

- text


મોરબી:મોરબીના જોધપર પાસે મકનસર વિડીમાંથી અજાણ્યા પૂરુષની લાશ મળવા મામલામા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ અજાણ્યા પુરુષને બોથડ પદાર્થના ઘા મારી પતાવી દેવાયો હોવાનું ખુલતા પોલીસે આ મામલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંઘી આગળની કાર્યવાહી હાથ ધરીછે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગત 11 તારીખે મોરબીના જોધપર નદી ગામે વિડીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી હતી,શંકાસ્પદ હાલતમાં મળેલી આ લાશ મામલે પોલિસે બોડીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા લાશને રાજકોટ મેડિકલ કોલેજમાં મોકલી હતી જેનો ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે તબીબોના મતે આ અજાણ્યા વ્યક્તિની બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવી હોવાનું જણાવાયું હતું. ફોરેન્સિક રિપોર્ટને આધારે પોલીસે આ મામલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યા અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે મૃતદેહ મળ્યો ત્યારે આજુ બાજુમાં સળગેલા લાકડા પણ મળી આવ્યા હતા, જો કે હજુ સુધી મૃતક વ્યક્તિની ઓળખ ન મળતા પોલીસે હત્યારાઓ અને હત્યાનો ભોગ બનનાર બન્નેની શોધખોળ હાથ ધરી છે.

 

- text