માળીયા તાલુકામાં પાકવિમો ચુકવવામાં બેંકોની અવળચંડાઇ

- text


કોંગી આગેવાન દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત

માળીયા:માળિયા તાલુકાના ખેડૂતોને પાકવીમો ચુકવવા માટે બેંકમાં રકમ જમા થઈ ચુકી હોવા છતાં ખેડૂતોને પાક્વીમાંની ચુકવણીમાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાથી કોંગી અગ્રણી કાંતિલાલ બાવરવાએ જિલ્લા કલેકટરને રજુઆત કરી તાકીદે પાકવિમાની રકમ ચુકવવાની માંગ કરી છે.

- text

મોરબી જીલ્લા કોંગ્રેસના કાર્યાલય મંત્રી કાન્તિલાલ બાવરવાએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લાના માળિયા તાલુકાની સરવડ ગામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પાક વીમાની રકમ ઉપરથી આવી ગઈ છે છતાં ચાર ગામો સરવડ, ભાવપર, નાની બરાર અને મેઘપરની પાકવીમાની રકમ ખેડૂતોના ખાતામાં જમા ના આપીને ખેડૂતોની દિવાળી બગાડી રહ્યા છે.

હાલમાં દિવાળીના દિવસો છે જેથી ખેડૂતોને પાક વીમાની રકમ મળી જાય તો રાહત મળી સકે પરંતુ જગતના તાતના હકના રૂપિયા એને સમયસર ના આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેથી આ અંગે તાકીદે યોગ્ય કરવાની માંગ કરી છે અન્યથા ખેડૂત ખાતેદારોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

- text