લીલાપર રોડ ઉપર ચાની લારી હટાવવા મામલે બઘડાટી

- text


મોરબી :  લીલાપર રોડ પર રેકડી કેબીન હટાવવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં મારામારી અને ધાક ધમકીઓ અંગે સામસામી ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના લીલાપર રોડ પરના રહેવાસી રાજુભા ગોવિંદભા ગઢવી (ઉ.વ.૩૧) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી અજય કોળી સાથે એક વર્ષ અગાઉ કેબીન ખાલી કરવા બાબતે ફરિયાદ કરેલ હોય જેનો ખાર રાખીને ઘરે જવાના રસ્તા પર કેબીન પાસે ટેબલ રાખી બેસેલ હોય જે હટાવવાનું કહેતા આરોપી અજય કોળીએ લોખંડના પાઈપ વતી માર મારી તેમજ રમેશ કોળી અને વજીબેન સહિતનાઓએ તેને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું જણાવ્યું હતું.

- text

જયારે સામાપક્ષે વજીબેન ગણેશભાઈ ઝીન્ઝવાડિયાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી નારાણભા રામભા ગઢવી, ગોવિંદભા રામભા ગઢવી અને જબરભા ગોવિંદભા ગઢવી રહે. લીલાપર રોડ વાળાએ ફરિયાદીની ચાની લારી પાસે આવીને જગ્યા ખાલી કરી દેજો તેમ કહી ગાળો આપી લાકડીથી ડાબા હાથમાં ઈજા કરી તેમજ અજયને ઢીકા પાટું અને લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આ મામલે એ ડીવીઝન પોલીસે સામ-સામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text