ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની સુરેન્દ્રનગરથી વાંકાનેર બદલી કરાઈ

- text


વાંકાનેરના ચીફ ઓફિસર ચાવડાને સુરેન્દ્રનગર મુકાયા

- text

મોરબી : રાજ્ય સરકાર દ્વારા આજે નવ ચીફ ઓફિસરની બદલીના ઓડર કરવામાં આવ્યા છે. જેમાં અગાવ મોરબી નગર પાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ સુરેન્દ્રનગર ફરજ બજાવતા ચીફ ઓફિસર ગીરીશકુમાર સરૈયાની વાંકાનેર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે વાંકાનેરના ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડાની સુરેન્દ્રનગર ખાતે અરસપરસ બદલી કરવામાં આવી છે.

- text