મોરબીના ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ નો પંચામૃત વાર્ષિકોત્સવ ઉજવાશે

- text


મોરબીમાં ઉમીયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા તા 15 ને રવિવારે સવારે 9 કલાકે શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ ના પાંચમા સ્થાપના વર્ષ નિમિતે પંચામૃત વાર્ષિકોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સિલાઈ મશીન,વસ્ત્ર, પ્રસાદ વિતરણ તથા કર્મયોગી કાર્યકર્તા સન્માન તેમજ વડીલ વંદના અને વિશિષ્ટ પ્રતિભા સન્માન સમારોહ યોજાશે. આ પ્રસંગે ઉમિયા ધામ સીદસર ના પ્રમુખ ડો ડાહ્યાભાઈ પટેલ જોધપર નદી પાસે ના સરસ્વતી નિકેતન આશ્રમના પૂ. ભાણદેવજી તથા જીલ્લા કલેકટર આઈ. કે. પટેલ સહિત ના મહાનુભવો હાજર રહેશે. આ કાર્યક્રમમાં સર્વે દરિદ્રનારાયણ લાભાર્થી પરિવારને હાજર રહેવા અપીલ કરાઈ છે.

- text