માળીયા નજીક એસટી બસને અકસ્માત

- text


હાઇવે ઉપર બંધ પડેલા કન્ટેનર સાથે બસ અથડાતા સર્જાયો અકસ્માત

માળીયા:માળીયા મિંયાણા નજીક સુરજબારી અને હરીપર વચ્ચે વહેલી સવારે અંજાર બાંટવા રૂટની એસ.ટી બસને અકસ્માત નડતા કંડકટર સહીત 15થી વધુ મુસાફરો ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વહેલી સવારે માળીયા હાઈવે પર થી પસાર થતી અંજાર-બાંટવા રૂટ ની એસ.ટી બસ હરીપર ગામ નજીક પહોંચતા હાઈવે પર પડેલા ટ્રેલર પાછળ ધડાકાભેર એસ.ટી બસ અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં એસટી બસના કંડકટર સહીત 15થી વધુ મુસાફરો ને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે અન્ય એસ.ટી બસમાં મોરબી હોસ્પિટલ ખસેડાયા હતા વહેલી સવારના ગંભીર અકસ્માત થી હાઈવે મુસાફરો ની ચીચીયારી ઓથી ગુંજી ઉઠ્યો હતો ઉપરાંત આ ગંભીર અકસ્માત માં ઈજાગ્રસ્તો માં જયસુખભાઈ ખુમાનંદ ચુડાસમા રહે અમીપર બાંટવા,ગોસાઈ હરદેવગીરી આનંદગીરી રહે આદીપુર,કેશુભાઈ રાજાભાઈ દેવીપુજક રહે ગાંધીધામ,મારાજ અંબારામ રાયમલ રહે ગાંધીધામ,નિશાબેન અશોકભાઈ વાણંદ રહે ભચાઉ,રીનાબેન રમણીકભાઈ વાણંદ રહે ભચાઉ,કુસરબેન અંબારામ મારાજ ગાંધીધામ,મંગારામ કેશારામ રહે રાજસ્થાન સહીત ના 15થી વધુ મુસાફરો ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર અર્થે મોરબી હોસ્પિટલ ખસેડાયા હતા.

- text