માળીયાના મેઘપર ગામમાં યોજાયેલ નાટકમાં બત્રીસ લાખ રૂપિયાનો ફાળો

- text


માળીયા:માળીયા તાલુકા ના મેઘપર(આહીર) ગામે ભજવેલ વીર આહીર દેવાયત બોદર નાટકમા લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવી ૩૨ લાખ રૂપિયા નો અધધધ ફાળો નોંધાવી કાઠિયાવાડની ઉદારતાના દર્શન કરાવ્યા હતા.

- text

જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકા ના મેઘપર(આહીર) ગામે યુવાનો દ્રારા રા’નવઘણ ના રખોપા કરતું ભવ્ય નાટક વીર આહીર દેવાયત બોદર નામનું નાટક ભજવવામાં આવ્યુ હતુ.
જેમા મેઘપર ગામના તથા આજુબાજુના ગામ નાં ધર્મ પ્રેમી લોકો દ્રારા મન મુકીને અધધ કહી શકાય તેવો ફાળો આપતાં ૩૨ લાખ રૂપિયાની ધનરાશિ એકત્રિત થઇ હતી.

નાટક દરમિયાન લોકો દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવતા આહીર યુવા ગ્રુપ-મેઘપર દ્વારા તમામ ધર્મપ્રેમી લોકોનો દિલથી આભાર માનવામાં આવ્યો હતો

 

 

- text