રવિવારે ટંકારામાં સર્વરોગ નિદાન કેમ્પ

- text


સરદાર પટેલ વિદ્યાલયના સંચાલક સ્વ.રામેશભાઈના સ્મરણાર્થે આયોજન

ટંકારા:ટંકારા સરદાર પટેલ વિધાલયના સંચાલક અને જાણીતા કેળવણી કાર રમેશભાઈ ભાગીયાના સ્મરણાર્થે એમના પરિવારજનો દ્વારા આગામી રવિવારે ટંકારા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે.
ટંકારાના સરદાર પટેલ વિદ્યાલય ખાતે આગામી તા.૮ને રવિવારના રોજ વિનામૂલ્યે સર્વરોગ નિદાનકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સર્વરોગ નિદાન કેમ્પમાં હાડકાના ડોકટર,બાળરોગ નિષ્ણાત,જનરલ સર્જન,આંખના ડોકટર,ચામડીના ડોકટર ગાયનેક,દાંતના ડોકટર,ફિજીયોથેરાપીસ્ટ સહિતના નિષ્ણાત તબીબો સેવા આપનાર છે.અને જરૂરિયાત મંદ દર્દીઓને દવા પણ વિનામૂલ્યે આપવામાં આવશે.
જેથી ટંકારા શહેર તાલુકાની જનતાએ આ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા સ્વ.રમેશભાઈ ભગિયાના પરિવારજનો દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text

- text