મોદી માત્ર પોતાના મનની વાત કરે છે અમે જનતાના મનની વાત સાંભળી છીએ : ટંકારામાં રાહુલની સટા-સટી

- text


નોટબાંધીએ સિરામિક ઉદ્યોગની કેડ ભાંગી નાખી : જીએસટીએ નાના વેપારીઓને પાયમાલ કર્યા

ટંકારા : બે દિવસથી ગુજરાતના પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ટંકારામાં જાહેરસભાને સંબોધન કરી મોદી અને ભાજપને આડે હાથ લઈ જણાવ્યું હતું કે ગુજરાતમાં જૂનું સરદારનું અને ગાંધીજીનું રોલ મોડલ ભૂલી ભાજપ સરકાર કે મોદી જનતાનું સાંભળવાની બદલે પોતાના મનની વાત કરી રહી છે અને રખે ને જો કોઈ સવાલ કરે તો ભાજપ વાળા બેરહેમીથી ગોળીઓ વરસાવે છે અને કાતો લાઠીઓ વરસાવી મહિલાઓને પણ છોડતા નથી.

દ્વારકા દર્શન કરી જામનગર જીલ્લાની મુલાકાત બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ધ્રોલ લતીપર થઈ ટંકારા આવી પહોંચ્યા હતા,જો કે તેઓ પોતાના નિર્ધારિત સમયથી મોડા આવતા જનમેદની પાસે માફી માંગી હતી.
જાહેરસભામાં જનતાનું દિલ જીતી લે તેવી ભાષામાં રાહુલ ગાંધીએ જનમેદનીને જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસનમાં હંમેશા જનતાને પૂછી નિર્ણયો લેવાય છે નહીં કે પોતાના મનની વાત જાણી ! એમનખી રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર સીધો જ પ્રહાર કરી કહ્યું હતું કે જનતા કે વેપારીઓ ખેડૂતોનો વિચાર કર્યા વગર મોદીએ હસતાં-હસતાં નોટો બંધ કરી અને પછી 10 દી’ પછી આ નિર્ણયથી ફસાઈ જતા રોવા લાગ્યા અને કેવા લાગ્યા મને ફાંસીએ ચડાવી દો.
વધુમાં નોટબંદીની અસર મોરબીના સીરામીક ઉધોગ ઉપર પડી હોવાનું જણાવી તેમને કહ્યું કે સીરામીક યુનિટમાં કામ કરતા મજૂરોને રોકડા નાણાં ચૂકવવા પડે એ સિવાય અનેક જગ્યાએ રોકડની જરૂર પડે તે વાતનો ખ્યાલ રાખ્યા વગર જ આરબીઆઇના ગવર્નર કે નાણાંમંત્રીને પૂછ્યા વગર એવો નિર્ણય લીધો જે પ્રજા માટે નુકશાન કારક રહ્યો શુ ગરીબ માણસના ઘરમાં પડેલા રોકડા નાણાં ચોરી ના હતા?

- text

ભાજપ પર આકરા પ્રહારો કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભાજપની સરકારમાં પાટીદારો અને દલિતોને ખૂબ જ અન્યાય થયો છે.પ્રજા સાવલ ઉઠાવે તો ભાજપ વાળા લાઠી ચાર્જ કરાવે અને કા તો ગોળી મારી દે અરે હોવી તો ભાજપવાળા બહેનોને પણ છોડતા નહોવાનું જણાવી પોલીસનો ઉપયોગ કરો ગુજરાતમાં અનોખું રોલ મોડલ ચાલતું હોવાનો કટાક્ષ કર્યો હતો.

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જનસભા સંબોધી હતી. તેઓએ સૌપ્રથમ પીળી ટોપી પેરી આવેલા મારા ભાઈઓ તમારું સ્વાગત છે, તેમ કહી ભાષણ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે કહ્યું કે, ‘ભાજપનું માર્કેટિંગ સારું પણ પ્રજાના કામ કે પ્રજા લક્ષી નિર્ણયો કરવામાં આવતા ન્હોવાનું જણાવી ખેડૂતોને કપાસ મગફળીના ટેકાના ભાવ કેવા મળવા જોઈએ તેનો જવાબ જનતા પાસે માંગી અને ગુજરાત માં કોંગ્રેસ ની સરકાર આવશે અને પ્રજાને પૂછી પ્રજાલક્ષી નિર્ણયો લેવાશે તેવું જણાવ્યું હતું.

ટંકારામાં રાહુલ ગાંધી પોતાના નિર્ધારિત સમયે બપોરે બાર વાગ્યે પહોંચનાર હતા પરંતુ જામનગરથી યંકાર પહોંચતા ધ્રોલ સહિતના ગામોમાં તેઓને ઉષ્માભેર આવકારવામાં આવતા તેઓ નિર્ધારિત સમયથી દોઢથી બે કલાક મોડા પહોંચ્યા હતા,
જો કે આમ છતાં ટંકારા કહતે સ્વયંભૂ ઉમટી પડેલી જનમેદની લાંબો ઇન્તજાર કરી રાહુલગાંધીની સભામાં છેક સુધી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- text