- text
માણેકવાડા અને ટંકારાાના શકશો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
હળવદ:રાજકોટના પટેલ વેપારીની હળવદના માણેકવાડા ગમે આવેલ જમીનમાં ઘૂસણખોરી કરી માણેકવાડા અને ટંકારના ચાર શખ્સોએ લિબુના બગીચામાં નુકશાન કરી જમીન પડાવી લેવા ધાકધમકી આપવાનું શરૂ કરતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના કાલાવડ રોડ પરના રહેતા ચેતનભાઈ મનુભાઈ પટેલે માણેકવાડા ગામે આશરે ૩૦ વીઘા જમીન ધરાવે છે જેમાં લીંબુનું વાવેતર કરેલ હોય આરોપી હેમંતભાઈ ભલાભાઈ કોળી રહે. માણેકવાડા, રમેશભાઈ ઘોઘાભાઇ ભરવાડ રહે. ટંકારા અને શંકરભાઈ વસાભાઇ કોળી રહે. માણેકવાડા તેમજ સાથેના ચાર અજાણ્યા માણસોએ વારાફરતી આવીને આ જમીન ખાલી કરી નાખવા ધમકી આપી લીંબુના ઝાડને કાપી નુકશાન કર્યુ હતું ઉપરાંત આરોપીઓ દ્વાર સુરેશ અને ભૂપત નામના વાડીના જાનથી મારી નાખવાની ધમકી આપી લીંબુ ઝાડ કાપી નુકશાની કરી એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
- text
- text