મોરબી લોહાણા મહાજન દ્વારા રવિવારે વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ચેક અર્પણ કરાશે

- text


મોરબી:લોહાણા મહાપરિષદ તેમજ મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ ના સહયોગ થી મોરબી લોહાણા મહાજન દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ લોહાણા સમાજ ના વિદ્યાર્થી ભાઇઓ બહેનો ને શિષ્યવૃતિ ચેક અર્પણ સમારોહ આગામી તા-૧-૧૦-૨૦૧૭ રવિવાર ના રોજ અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ મંદીર ખાતે સાંજે ૪ કલાકે યોજાશે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા લોહાણા મહાજન પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણી, ઉપ પ્રમુખ નવીન ભાઇ રાચ્છ, મંત્રી નરેન્દ્ર ભાઈ રાચ્છ, હરીશ ભાઇ રાજા, ચંદ્રવદન ભાઇ પુજારા, જે.આઇ. પુજારા, ધીરુભાઇ તન્ના, જગદીશ ભાઇ કોટક, મહેશ ભાઈ રાજા, મનહર લાલ અમલાણી જીતુભાઇ પુજારા, કાજલ બેન ચંડીભમ્મર સહીત ના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. જેથી તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં સમયસર ઉપસ્થીત રહેવા લોહાણા મહાજન મોરબીના કન્વીનર નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

 

- text