ભાવનગરના પદયાત્રીનું વાંકાનેર પાસે અજાણ્યા વાહને હડફેટે મોત

- text


દીકરી-જમાઈ સાથે ચાલીને પાલનપીર જતા રસ્તામાં કાળ ભેટ્યો

વાંકાનેર : વાંકાનેર નજીકના હડમતીયા પાસે આવેલા મેઘવાળ સમાજના પવિત્ર ધામ એવા પાલનપીરની જગ્યાએ ભરાતા મેળામાં સંઘ સાથે નીકળેલા ભાવનગરના રામધરી ગામના વણકર આધેડ રાઘવભાઈ ધનાભાઇ સોલંકીને આજરોજ પગપાળા આવતી વખતે બાઉન્ડ્રી રોડ પર આવેલ જાલીડા ગામના પાટિયા પાસે કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા મોત નીપજ્યું હતું.
વાંકાનેર થી આશરે ૨૮ થી ૩૦ કી,મી, દુર હડમતીયા નજીક આવેલ મેઘવાળ સમાજના ગુરુશ્રી પાલનપીરની જગ્યા પર ત્રણ દિવસનો સાંસ્કૃતિક પર્વ(મેળો) મનાવવામાં આવે છે અને આ પર્વમાં દર વર્ષે સમગ્ર ભારતવર્ષ માંથી મેઘવાળ સમાજના અસંખ્ય લોકો અહિયાં કોઈ પગપાળા તો કોઈ વાહનો બાંધીને આવી બે-ત્રણ દિવસ રોકાઈ પોતાની અસ્થા ને ઉજાગર કરે છે.
આવીજ રીતે ગત તા, ૭/૯ ના રોજ ભાવનગર જીલ્લાના રામધરી ગામે થી રાઘવભાઈ ધનાભાઇ સોલંકી( ઉ.વ. ૫૪ ) તેમના મોટા પુત્રી અને જમાઈની સાથે આશરે ૪૦ થી ૪૫ લોકોનો સંઘ પાલનપીર આવવા નીકળ્યો હતો. આજ રોજ તા. ૧૩ ના રોજ વાંકાનેર બાઉન્ડ્રી રોડ પર જાલીડા ગામના બોડ પાસે આ સંઘમાં રાઘવભાઈ એકલા તેના દીકરી જમાઈથી થોડા પાછળ રહી ગયા હતા અને અન્ય લોકો થોડા આગળ હોય ત્યારે કોઈ અજાણ્યા વાહને તેઓને હડફેટે લઇ લીધા હોય ઘટના સ્થળે જ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. જોકે આ મૃત્યુ બાબતે રાઘવભાઈની પાછળ આવતા સંઘના લોકો જયારે ત્યાં પહોચ્યા ત્યારે ખબર પડી હોય ત્યાંથી તુરંત આગળ જઈ રહેલા તેમના જમાઈ નો સંપર્ક કરી રાઘવભાઈના મૃતદેહને વાંકાનેર લાવવામાં આવ્યો હતો.

- text

- text