મોરબી એસીબી દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


નવજીવન ટ્રસ્ટ સંચાલિત તાલીમ કેન્દ્રમાં માહિતી અપાઈ

- text

મોરબી : લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો મોરબી અને નવજીવન ટ્રસ્ટ મોરબી દ્વારા આજરોજ ભ્રષ્ટાચાર નિવારણ અંગે માર્ગ દર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વિશિપરા ખાતે આવેલ નવજીવન ટ્રસ્ટ સંચાલિત તાલીમ કેન્દ્રના તાલીમાર્થીઓને આજે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના પોલીસ ઇન્સ્પેકટર આર.વાય.રાવલ અને સ્ટાફ દ્વારા સમાજમાંથી ભ્રષ્ટાચારની બદી નાબૂદ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં ઉપસ્થિત તાલીમાર્થી ભાઈઓ બહેનો સાથે વાર્તાલાપ કરી એસીબીના અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં આગળ આવી ફરિયાદ કરવા અંગે સમજ આપી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરી સમજાવવામાં આવી હતી.

- text