અમારી ગાયમાતા કતલખાને નહિ જાય : નેસડા ગામનો સંકલ્પ

- text


નવરાત્રીમાં ઐતિહાસિક ભુચરમોરીનું યુદ્ધ અને જેઠો જમાદાર નાટક યોજાશે

મોરબી : આજે જ્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશભરમાં ગૌવંશની કટલે આમ અને કતલના ઇરાદે હેરફેર થઈ રહી છે. ત્યારે ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે અનોખો સંકલ્પ કરી એક પણ ગૌવંશની કતલખાને નહિ જાય તેવો સંકલ્પ કર્યો છે.
અંધ, અપંગ, નિરાધાર ગાયોની સેવા માટે જાણીતા નેસડા ખાનપર ગામના યુવક મંડળ દ્વારા કોઈપણ જાતનો ફંડ ફાળો કર્યા વગર છેલ્લા ઘણા સમયથી ગૌવંશની સેવા કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં ગામ સમસ્ત દ્વારા સંકલ્પ કરી એકપણ ગૌવંશને કતલખાને નહિ જવા દેવા નીર્ધાર કર્યો છે.
વધુમાં ગૌવંશના નિભાવ માટે ગામના યુવક મંડળ દ્વારા દરવર્ષે નવરાત્રીમાં નાટક યોજવામાં આવે છે જેમાં આ વર્ષે તા.૨૧/૯/૨૦૧૭ના રોજ રાત્રીના ૯.૩૦ કલાકે ભુચરમોરી યુદ્ધ યાનેકે સમરાંગણ અને હાસ્ય નાટક જેઠો જમાદાર નાટક રાજુ કરવામાં આવનાર હોવાનું ઉમિયા ચેરીટેબલ ટ્રસ્ટ નેસડા અને શ્રી ગૌ સેવા યુવક મંડળ ગામસમસ્ત નેસડાની યાદીમાં જણાવાયું છે.

- text

- text