વાંકાનેર : વેલનાથ પરા કા રાજાને ૫૬ ભોગનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો

- text


વાંકાનેર : સમગ્ર વાંકાનેર ગણેશમય બન્યું છે શહેરમાં ઠેર ઠેર પંડાલોમાં ગણપતીની સ્થાપના થઈ છે ત્યારે વાંકાનેરના વેલનાથપરામાં પણ અહીં પાંચમા વર્ષે પણ વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે સમસ્ત વેલનાથપરા આયોજિત “વેલનાથપરા કા રાજા ” ને નવમા દિવસે ૫૬ ભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. તેમજ અહીં રોજ રાત્રે ૯ કલાકે આરતી કરવામાં આવે છે અને બહોળી સંખ્યામાં અહીં લતાવસિયો આરતીનો લાભ લે છે અને દુંદાળા દેવ ગણપતીના દર્શન કરી ને ધન્યતા અનુભવે છે.

- text