માં ભગવતી સેવા સંગઠન દ્વારા સુરજબારી પુલ પાસે પદયાત્રી સેવા કેમ્પ

- text


મોરબી : માં આશાપુરા માતાજીના મઢ જતા પદયાત્રિકો માટે આગામી તા.૧૧ થી ૧૯ નવેમ્બર સુધી સુરજબારી પુલ પાસે માં ભગવતી સેવા સંગઠન દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું છે.

- text

માં ભગવતી સેવા સંગઠન દ્વારા માં આશાપુરા માતાજીના મંદિરે જતા પદયાત્રિકો માટે તારીખ ૧૧ નવેમ્બરથી ૧૯ નવેમ્બર સુધી સુરજબારી પુલથી આગળ જમણી તરફ સેવા કેમ્પનું આયોજન કરાયું છે જેમાં રહેવા,જમવા,ન્હાવા,તેમજ સુવા બેસવાની વ્યવસ્થાની સાથે સાથે મેડિકલ કેમ્પની સુવિધા પણ રાખવામાં આવી છે.
જેથી આશાપુરા માતાજીની પદયાત્રાએ જતા યાત્રિકોએ આ સેવા કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે વધુ વિગતો માટે મો.૯૮૨૫૦૫૬૯૨૯, ૯૯૭૯૯૩૧૪૩૧, ૯૬૮૭૮૯૯૪૯૯ અથવા ૯૯૭૮૩૧૬૨૧૫નો સંપર્ક કરવો.

- text