ટંકારા સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવમાં કાલે મહારક્તદાન કેમ્પ

- text


મહારક્તદાન કેમ્પમાં 400 બોટલથી વધુ રક્ત એકત્રિત કરાશે:પડધરી ટંકારા તાલુકાના તમામ ગામોના સરપંચને આમંત્રણ

ટંકારા:ટંકારાના સિદ્ધિ વિનાયક ક રાજા ગણેશોત્સવ સમિતિ દ્વારા આવતીકાલે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે આ કેમ્પમાં ૨૫૦ બોટલથી વધુ રક્ત એકત્રિત કરી સેવાકાર્ય કરવામાં આવશે.
સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવ સમિતિના આ4વિડ બારૈયાના જણાવ્યા મુજબ આવતીકાલે ટંકારા ખાતે લતીપર ચોકડી ખાતે બિરાજમાન થયેલા સિદ્ધિ વિનાયક કા રાજાના પંડાલ મધ્યે સેવકાર્યનું ઉત્તમકાર્ય થવા જઈ રહ્યું છે.
આવતીકાલે સવારે ૯ વાગ્યાથી ગણેશોત્સવ સમિતિ દ્વારા મહારક્તદાન કેમ્પ શરૂ કરાશે જે સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે,આ મહારક્તદાન કેમ્પમાં ટંકારા અને પડધરી તાલુકાના તમામ ગામોના સરપંચને આમંત્રણ આપવામાં આવ્યું છે.
વધુમાં અરવિંદ બારૈયાએ જણાવ્યું હતું કે આ મહારક્તદાન કેમ્પમાં 400 બોટલ રક્ત એકત્રિત કરવા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને બાપાની કૃપાથી એથી પણ વધુ રક્તદાતાઓ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરવા ટંકારા,મોરબી અને પડધરી પંથકના યુવાનોને હાકલ કરી હતી.

- text

- text